જલ્સા કરોને જેંતીલાલ

આ છે દુનિયાનો સૌથી તાકાતવર જીવ, જે ઉકળતા પાણીમાં પણ રહી શકે છે

પૃથ્વીનો સૌથી કઠોર જીવો તરીકે ઓળખાતા ‘વોટર બીયર’, એટલે કે ટારિગ્રેડેસ, ઉકળતા પાણીમાં નાખો, ભારે વજન હેઠળ કચડી નાખો અથવા અવકાશમાં ફેંકી દો, છતા પણ તેઓ જીવંતુ રહેશે. એટલું જ નહીં, વર્ષ 2007 માં વૈજ્ઞાનિકોએ હજારો ટારિગ્રેડને ઉપગ્રહમાં મૂકીને અવકાશમાં મોકલ્યા હતા. જ્યારે આ અવકાશયાન પૃથ્વી પર પાછુ ફર્યુ, ત્યારે જોવા મળ્યું કે ટારિગ્રેડેસ જીવંત હતા. અહિયાં સુધી કે માદા ટારિગ્રેડે ઇંડા પણ આપ્યા હતા.

ભારે દબાણવાળા વિસ્તારોમાં પણ જીવી શકે છે

image source

સામાન્ય રીતે, મનુષ્ય 35 થી 40 ડિગ્રી તાપમાનમાં જ પરેશાન થઈ જાય છે, જ્યારે આ જીવ 300 ડિગ્રી ફેરનહિટ તાપમાન સહન કરી શકે છે. એટલું જ નહીં, આ જીવો અવકાશના ઠંડા વિસ્તારો અને મેરિઆના ટ્રેચ જેવા ભારે દબાણવાળા વિસ્તારોમાં પણ જીવી શકે છે. માનવામાં આવે છે કે ટારિગ્રેડેસ ધરતી પરનો સૌથી મજબુત જીવ છે. જે જ્વાળામુખીથી લઈને બરફમાં પણ જીવીત રહી જાય છે. એવું અનુમાન કરવામાં આવે છે કે આ પૃથ્વીના સૌથી પ્રાચીન જાણીતા સજીવોમાંનો એક હોઈ શકે છે. તેનો સૌથી જૂનો અશ્મિભૂત હાલમાં 500 મિલિયન વર્ષ જૂનો છે.

image source

આમ તો આઠ પગવાળો ટારિગ્રેડેસ એ પાણીમાં જોવા મળે છે, જે એટલો નાનું છે કે તે માઇક્રોસ્કોપથી યોગ્ય રીતે જોઇ શકાય છે. પુખ્ત વયના તબક્કે તે 1.5 મીલીમીટર લાંબો હોય છે, જ્યારે સૌથી નાનો જીવ 0.1 મીલીમીટર લાંબો હોય છે. આ જીવને વોટર બીયર (Water Bear) અથવા ટારિગ્રેડેસ (Tardigrade)પણ કહેવામાં આવે છે. તેના કદને કારણે તેને વર્ષ 1773 માં લિટલ વોટર રીંછ કહેવાતું હતું. ત્રણ વર્ષમાં તેનું નામ થયું ટારિગ્રેડેસ એટલે કે, ધીરે ધીરે પગલા ભરનાર.

300થી વધુ ડિગ્રી તાપમાન પર રહેવા માટે સક્ષમ

image source

આ પછી, ટારિગ્રેડેસ સમુદ્રથી લઈને પર્વતોની શિખરો સુધી અને જ્વાળામુખીની નજીક પણ બધે દેખાવા લાગ્યું. જીહા, આગ ઓકતી જગ્યાએ પણ આ ખૂબ નાના પ્રાણીઓની હાજરીનું એક વિશેષ કારણ છે. તે 300થી વધુ ડિગ્રી તાપમાન પર રહેવા માટે સક્ષમ છે. આમ તો વિપરીત પરિસ્થિતિઓમાં પણ જોવા મળે છે, જેમ કે નદી અથવા સમુદ્રની અંદરની શેવાળમાં.

રેડિયેશન સહન કરવાની પણ ક્ષમતા

image source

વૈજ્ઞાનિકોના મતે આ જીવની અંદર ‘પેરામાક્રોબાયોટસ’ નામનું એક જનીન જોવા મળે છે. પેરામાક્રોબાયોટસ એક રક્ષણાત્મક ફ્લોરોસન્ટ ઢાલ છે, જે અલ્ટ્રા વાયોલેટ કિરણોત્સર્ગનો વિરોધ કરે છે. આ જનીન હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગને શોષી લે છે અને તેને હાનિરહિત વાદળી પ્રકાશમાં રૂપમાં પાછું બહાર કાઢે છે. તે જ સમયે, સામાન્ય જીવતંત્ર આ હાનિકારક કિરણો વચ્ચે માત્ર 15 મિનિટ જ જીવી શકે છે.

આ જીવના ‘પરમક્રોબાયોટસ’ અન્ય સજીવોમાં પણ સ્થાનાંતરિત કરી શકાય છે

image source

ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ સાઈન્સ સંસ્થાના બાયોકેમિસ્ટ હરિકુમાર સુમાએ તેમના સંશોધન પત્રમાં લખ્યું છે કે, અમારા અધ્યયનમાં એ જાણવા મળ્યું છે કે ‘પરમાક્રોબાયોટસ’ નમૂનાઓ યુવી પ્રકાશ હેઠળ કુદરતી ફ્લોરોસન્સ દર્શાવે છે, જે યુવી કિરણોત્સર્ગના ઘાતક ડોઝ સામે રક્ષણ આપે છે. સંશોધનકારોના મતે, આ જીવના ‘પરમક્રોબાયોટસ’ કાઢીને અન્ય સજીવોમાં પણ સ્થાનાંતરિત કરી શકાય છે. આ કરવાથી, અન્ય સજીવો ખતરનાક પરિસ્થિતિઓ અને રેડિયેશન હેઠળ પણ જીવી શકે છે. જો કે, અન્ય દેશોના નિષ્ણાતો આ અભ્યાસને અધૂરા માની રહ્યા છે. આ અભ્યાસ અંગે વિવિધ દેશોના વૈજ્ઞાનિકોના મંતવ્યો જુદા છે.

Exit mobile version