પ્રેમ માણસ પાસે શું નથી કરાવતો ? પ્રેમમાં માણસ પોતાની જાતને ભૂલી જાય છે. પ્રેમમાં માણસ પોતાને જ નહીં પણ દૂનિયાને પણ ભૂલી જાય છે. અને માત્ર પોતાનો પ્રેમ જ સર્વસ્વ લાગવા લાગે છે.
બોલીવૂડ એ ધાર્મિક એકતાનું એક ઉત્તમ ઉદાહણ છે. તમે જોઈ શકશો કે અહીં કોઈ પણ જાતના ધાર્મિક ભેદભાવ નથી રાખવામાં આવતા. હીન્દુ મુસ્લિમ સાથે લગ્ન કરે છે, તો ક્રીશ્યન હીન્દુ સાથે લગ્ન કરે છે તો વળી પારસી પણ મુસ્લિમ સાથે લગ્ન કરે છે. જેમ શાહરુખ ખાને ગૌરી સાથે લગ્ન કર્યા છે જોકે ગૌરીએ પોતાનો ધર્મ નથી બદલ્યો.
એવી ઘણી બધી અભિનેત્રીઓ બોલીવૂડમાં છે જેમને પોતાનું અંગત જીવન ખુબ જ વહાલું છે. અને તે માટે તેમણે પોતાના પ્રેમ ખાતર પોતાનો ધર્મ પણ બદલ્યો છે. આજના આ લેખમાં અમે તમને બોલીવૂડની એવી અભિનેત્રીઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે પોતાનો ધર્મ બદલ્યો છે.
1. આયેશા ટાકિયા
આયેશા ટાકીયા બોલીવૂડની સુંદર અભિનેત્રી છે. પોતાના પ્રેમી સાથે લગ્ન કરતાં પહેલાં તેણી એક હિન્દુ યુવતી હતી અને લગ્ન બાદ તેણીએ મુસ્લિમ ધર્મ અપનાવ્યો છે.
2. અમૃતા સિંઘ
સૈફ અલિ ખાન સાથે લગ્ન કર્યા પહેલા અમૃતા એક હિન્દુ હતી પણ લગ્ન બાદ તેણીએ પોતાનું ધર્મ પરિવર્તન કર્યું હતું. પણ કોઈ કારણ સર તેમના લગ્ન સફળ ન નિવડ્યા અને તેમણે છેલ્લા લાંબા સમયથી ડીવોર્સ લઈ લીધા છે.
3. શર્મીલા ટેગોર
ભારતીય ક્રિકેટર મંસુર અલિ ખાન પટૌડી સાથે લગ્ન કરતાં પહેલાં શર્મિલા એક હિન્દુ હતી. પણ લગ્ન બાદ તેણીએ પોતાનું ધર્મ પરિવર્તન કર્યું હતું.
4. હેઝલ કીચ
યુવરાજ સિંઘ સાથે લગ્ન કર્યા બાદ હેઝલ કીચે સીખ ધર્મ અપનાવ્યો છે.
5. દિવ્યા ભારતી
સાજિદ નડિયાદવાલા સાથે લગ્ન થયા પહેલાં દિવ્યા ભારતી હિન્દુ હતી પણ લગ્ન બાદ તેણીએ મુસ્લિમ ધર્મ અપનાવ્યો હતો.
6. મમતા કુલકર્ણી
વિક્કી ગોસ્વામી સાથે લગ્ન પહેલાં તેણી હિન્દુ હતી પણ તેની સાથે લગ્ન કર્યા બાદ તેણીએ મુસ્લિમ ધર્મ અપનાવ્યો હતો.
માણસ ગમે તેટલા ધર્મ બદલે પણ મૂળે તો તેણે પોતાનો માનવતાનો ધર્મ ન જ ભૂલવો જોઈએ. સૌથી મોટો ધર્મ તો માનવતા જ છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !