જલ્સા કરોને જેંતીલાલ

૫૧ વર્ષની થઇ ધક ધક ગર્લ આજે જાણો કોની સાથે હતો તેને પ્રેમ જે પૂર્ણ ના થઇ શક્યો…

ભાગ્યે જ કોઈ એવું હશે જેને માધુરીની અદા પસંદ નહીં હોય, બર્થ ડે સ્પેસિયલમાં જાણીએ જે હજુયે અનેક લોકો માટે છે રાઝ…


આ પરણિત વ્યક્તિ સાથે એક સમયે માધુરીના હતા સંબંધ, જન્મદિવસે બીજી અજાણી વાતો જાણો…

માધુરીના કરોડો ચાહકો છે, પણ તેમ છતાં તેમના વિશે કેટલીક વાતો રહી છે આજે પણ રહસ્ય… જે કદાચ જ તેમના ફેન્સ સુધી પહોંચી હશે… ૯૦ના દાયકાની આ અબુધ અદાકારા જોતજોતાંમાં ક્યારે તેજાબી ડાન્સર બનીને સૌના દિલ પર રાજ કરવા લાગી.

ભાગ્યે જ કોઈ એવું વ્યક્તિ હશે જેમને હિન્દી સિનેમાં પસંદ હોય અને માધુરીની એક પણ ફિલ્મ ન જોઈ હોય. એક લાંબો દશક એવો હતો જ્યારે માધુરી સૌથી ખૂબસૂરત અને મોસ્ટ ડિમાન્ડ હિરોઈન તરીકે જાણીતી હતી.

તેમણે પોતાના કેરિયરમાં એ સમયના લગભગ દરેક સુપર સ્ટાર સાથે કામ કર્યું છે. જેમાં અનિલ કપૂર, શાહરૂખ ખાન, આમિર ખાન, સલમાન ખાન સાથે સની દેઓલ અને મીથુન જોડે પણ સુપર હિટ ફિલ્મો આપી છે.

તેઓ બેહદ શાલીન અને ઠરેલ અભિનેત્રી તરીકે ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીમાં જાણીતાં છે. જેમનો ડાન્સ જોવા એક સમયે દર્શકો થીયેટર સુધી પહોંચવા માટે મુખ્ય આકર્ષણ રહેતું. આ ધકધક ગર્લના અંગત જીવન વિશે આપને જણાવીએ જે કદાચ એમના ફેન તરીકે તમે નહીં જાણતાં હોવ.

માધુરીનો પહેલો પ્રેમ થયો હતો નિષ્ફળઃ

પરણિત અભિનેતા સાથે માધુરીને હતો પ્રેમ, જાણો છો? એવાં કયાં કારણો હતાં જેથી કરવો પડ્યો બ્રેકઅપ… તમને જણાવીએ કે સાજન અને ખલનાયક જેવી એ જમાનાની મોસ્ટ પોપ્યુલર ફિલ્મસ આપનારી જોડી સંજય દત્ત અને માધુરીને એક સમયે એકબીજાથી ખૂબ જ પ્રેમ થઈ ગયો હતો.

આ પ્રેમ સંબંધને તેઓ લગ્નનું નામ નહોતાં આપી શક્યાં. કહેવાય છે કે તેના બે મુખ્ય કારણો છે, એક તો સંજય દત્ત એ સમયે ઓલરેડી પરણેલા હતા અને બીજું પણ સાંભળવામાં આવ્યું છે કે તેમના પરિવારને સંજય દત્ત દીકરીના પતિના સ્વરૂપમાં પસંદ નહોતા.

પરિવારની ઇચ્છાને માન્ય રાખીને માધુરીએ સંજય દત્ત સાથે બ્રેકઅપ કરી લીધું હતું. અને ત્યાર બાદ આ સુપર હિટ જોડી ૨૬ વર્ષે ફરી ઓન સ્ક્રીન કલંકમાં દેખાઈ હતી.

આજે આ બંને પોતપોતાના જીવનમાં ભૂતકાળને ભૂલીને આગળ વધી ગયાં છે. એ સમયે સંજય દત્તની પત્ની રીચા શર્માથી તેમને એક દીકરી છે, જેનું નામ ત્રિશાલા છે, તે ન્યૂયોર્કમાં નાનાનાની પાસે રહી ફેશન ડિઝાઈનિંગનું કરે છે.

અને તેમની પત્નીનું ૧૯૯૬માં બ્રેઈન ટ્યુમરને લીધે મોત નીપજ્યું હતું. ત્યાર બાદ પણ તેમને પ્રેમ સંબંધે ઘણો સંઘર્ષ કરવો પડ્યો એ પછી તેમના બીજા બે લગ્ન થયાં. હાલ, તેમની પત્ની માન્યતા દત્તને બે જોડિયા સંતાનો છે.

માધુરીએ પણ તેમની જ્ઞાતિના અમેરિકા સ્થિત ડો. નેને સાથે લગ્ન કર્યા અને બે દીકરાઓ સાથે ભારત આવતાં જતાં રહે છે. અને ફિલ્મી કારકિર્દી પણ તેમણે જાળવી રાખી છે.

ડો. રામ નેને સાથેનું એક સત્ય તમને ચોંકાવશે.

‘જોડીયાં ઉપરવાલા બનાતા હૈ’ એવો ડાયલોગ બોલી રહેલી માધુરીને પણ એ સમયે નહોતી જાણ કે તેમના પતિને તેમની સેલિબ્રિટી લાઈફ અને એક્ટિંગ ફિલ્ડ વિશે સહેજ પણ ખ્યાલ નહીં હોય. જી હા, તેમના લગ્ન એક એરેન્જ્ડ મેરેજ છે.

જે પરિવારના જ કોઈ આન્ટીએ ડો. રામ નેને માટેનું માગું મૂક્યું હતું. જ્યારે તેઓ માધુરીને જોવા આવ્યા એ સમયે તેમને નહોતી ખબર કે તેઓ એક ભારતીય સૌથી સફળ અભિનેત્રી છે.

કારણ કે હાર્ટ સર્જન તરીકે દુનિયામાં નામના મેળવનારા આ ડોક્ટર અમેરિકા રહેતા હતા. તેઓનો પરિવાર મહારાષ્ટ્રિયન કોકણસ્થ બ્રાહ્મણ હોવાથી દેશમાં લગ્ન હેતુ છોકરી જોવા આવ્યા હતા.

૫૦+ માધુરીની સુંદરતાનું રાઝ

આજે માધુરીને ૫૨મું વર્ષ બેઠું, ૧૯૮૮માં તેમનું પહેલું હિટ સોંગ એક દો તીન’માં જેટલી ગ્રેસફુલ અને અદાથી નૃત્ય અને અભિનય કર્યો છે એટલી જ સહજતાથી તેઓ આ ઉમરે પણ કામ કરે છે.

અને પહેલાંથી પણ સુંદર લાગે છે. આવો ઝડપથી જાણી લઈએ કેમ છે તેઓ આટલા ફિટ એન્ડ ફાઈ…

પાણી પીવાની ટેવને કારણે તેઓની સ્કીન ખૂબ જ ચોખ્ખી અને સુંદર છે. એવું તેમણે આજ સુધી અનેક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે. બીજું એમનો પહેલો પ્રેમ ડાન્સ છે.

ભારતના લેજેન્ડરી નૃત્યકાર બીરજુ મહારાજ પાસેથી કથ્થક અને નાનપણથી જ અન્ય ક્લાસિકલ ડાન્સ શીખેલા માધુરી આજે પણ અઠ્વાડિયે બે વખત નૃત્યનો રિયાઝ કરે છે.

અમેરિકન લાઈફ સ્ટાઈલ સાથે પણ તેઓ ઇન્ડિયન વેજ ફૂડ પસંદ કરે છે. નિયમિત કસરત કરવી અને બાળકોના ઉછેરમાં આનંદથી સમય વિતાવે છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version