૩૬ વર્ષીય AIADMKના દલિત વિધાયકએ પૂજારીની ૧૯ વર્ષની દીકરી સાથે લગ્ન કર્યા અને વિવાદ થયો.
આ લેખમાં આજે અમે આપને જણાવીશું તમિલનાડુ રાજ્યના સત્તાધારી પક્ષ એઆઈએડીએમકે (AIADMK) પક્ષના દલિત વિધાયકએ કરેલ પોતાની બ્રાહ્મણ પ્રેમિકા સાથે કરેલ લગ્ન વિષે કેટલીક બાબતો વિષે જણાવીશું. તમિલનાડુ રાજ્યના સત્તાધારી પક્ષ એઆઈએડીએમકે (AIADMK)ના દલિત વિધાયક એ પ્રભુ (A Prabhu) એ પોતાની ૧૯ વર્ષની ઉમર ધરાવતી બ્રાહ્મણ પ્રેમિકા સાથે લગ્ન કરી લીધા છે.
આ લગ્નથી નારાજ એક સ્થાનિક મંદિરના પુજારી આ દીકરીના પિતા એસ સ્વામીનાથનએ આરોપ લગાવ્યો છે કે, તેમની દીકરીનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. તેમણે આત્મદાહ કરવાની ધમકી પણ આપી દીધી અને જીલ્લા પોલીસ દ્વારા તેમની વિરુદ્ધ આત્મહત્યા કરવાના પ્રયત્નની બાબતમાં કેસ નોંધવામાં આવ્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સૌંદર્યા પોતાના માતા- પિતાનું ઘર છોડીને નીકળી જાય છે અને લગ્ન પ્રભુના નિવાસ સ્થાન પર થયા છે.
દીકરીના પિતા પુજારી સ્વામીનાથનએ એવું પણ કહ્યું છે કે, તેમની જાતિના કારણે દીકરીના લગ્નનો વિરોધ કર્યો નથી પરંતુ દુલ્હા અને દુલ્હનની ઉમરની વચ્ચે જે વધારે અંતર છે તેના લીધે દીકરીના પિતા પુજારી સ્વામીનાથન આ લગ્ન માટે પોતાની આપત્તિ વ્યક્ત કરી છે.
ત્યાં જ, દલિત વિધાયક એ પ્રભુના માતા- પિતા પણ એઆઈએડીએમકે પક્ષ સાથે જોડાયેલ છે. પછીથી દલિત વિધાયક એ પ્રભુએ આ અફવાઓનું ખંડન કરતા કહ્યું છે કે, તેમણે સૌંદર્યાનું અપહરણ કરીને જબરદસ્તી લગ્ન કર્યા છે. તેમણે સૌંદર્યાના માતા- પિતાને ધમકી આપવાથી પણ મનાઈ કરી દીધી છે. દલિત વિધાયક પ્રભુએ કહ્યું છે કે, છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓ અને સૌંદર્યા એકબીજાના પ્રેમમાં હતા. એમએલએ એ પ્રભુએ પત્ની સૌંદર્યાની સાથે એક વિડીયો જાહેર કરીને આ આખા બાબત વિષે સ્પષ્ટતા આપે છે.
દલિત વિધાયક એ પ્રભુ કહે છે કે, તેમનો સંબંધ ચાર મહિના જુનો છે અને હવે તેમણે લગ્ન કરી લીધા છે. એમએલએ એ પ્રભુએ દાવો કર્યો છે કે, તેમણે છોકરીના પરિવાર પાસેથી લગ્ન કરવાની મંજુરી માંગી હતી, પરંતુ છોકરીના પરિવારે તેમને સ્પષ્ટ રીતે મનાઈ કરી દીધી. એમએલએ પ્રભુના જણાવ્યા મુજબ તેમના પરિવારએ ઔપચારિક રીતથી સ્વામીનાથન સાથે લગ્ન કરવા માટે સહમતિ માંગી હતી. જો કે, એમએલએ પ્રભુએ આ વાતથી સ્પષ્ટ મનાઈ કરી દે છે. એમએલએ પ્રભુ કહે છે કે, તેમણે પોતાના માતા- પિતાના આશીર્વાદ સાથે સૌંદર્યા સાથે પૂર્ણ વિધિ- વિધાન સાથે લગ્ન કર્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ