ઘરની શેઠાણીએ આત્મહત્યા કરતા પાળેલુ કૂતરુ થઇ ગયુ દુખી-દુખી, અને પછી…શું છે પૂરી સ્ટોરી વાંચવા કરો ક્લિક

વાહલી શેઠાણીએ કરી આત્મ હત્યા, તો ત્રણ દિવસ સુધી શવ સાથે બેસી રહ્યો પાળેલો કૂતરો

કૂતરાની વફાદારીનો પરચો કરાવતા કેટલાએ ઉદાહરણ તમે જોયા, વાંચ્યા અને સાંભળ્યા હશે. કેહવાય છે કે જો તમે એકલું જીવન પસાર કરતાં હોવ અને ઘરમાં એકાદ-બે કૂતરા પાળી રાખો તો તમારી એકલતા મહદઅંશે દૂર થઈ જાય છે. અને માણસ અને કૂતરામાં એક મોટો તફાવત એ પણ છે કે માણસ તો ક્યારે પણ દગો દઈ જાય છે પણ પાળેલો કૂતરો ક્યારેય પોતાના માલિકને છોડતો નથી. તે દુઃખ અને સુખની બધી જ ક્ષણે તેની સાથે જ હોય છે.

image source

આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશના ઇંદોરમાં જોવા મળ્યો છે. મધ્ય પ્રદેશના ઇંદોર શહેરના શિવધામ કોલોનીમાં રહેતી 35 વર્ષિય પલક બાગેચાએ દુઃખી જીવનથી ત્રસ્ત થઈને આત્મહત્યા કરી લીધી છે. પણ આત્મહત્યા બાદ પણ તેણીએ પાળેલા બે કૂતરા તેના શવ આસપાસ દુઃખી વદને આંટો મારતા રહ્યા.

આસપાસના લોકોને પલકની આત્મહત્યાની જાણ ત્યારે થઈ જ્યારે તેના ઘરમાંથી ગંધ આવવા લાગી અને તેમણે પોલીસને કંઈક અજૂગતું થયું હોવાની ફરિયાદ કરી. છેવટે જ્યારે પોલીસ તેના ઘરમાં પહોંચી તો પલકે ગળેફાંસો ખાઈ પોતાનો જીવ આપી દીધો હતો. અને તેની આસપાસ તેના પાલતૂ કૂતરા આંટો મારી રહ્યા હતા.

image source

પોલીસે તરત જ તેણીનો મૃતદેહર નીચે ઉતાર્યો. આ દરમિયાન કૂતરાની હાલત કોઈ નજીકના સંબંધી જેવી જ દુઃખી હતી. તેઓ પણ દબાયેલા અવાજે કણસી રહ્યા હતા. અને શેઠાણીના શવની પાછળ પાછળ જ ચાલી રહ્યા હતા.

મૃતદેહને જ્યારે એમ્બ્યુલન્સમાં મુકવામા આવ્યો ત્યારે બેમાંથી એક કૂતરો તરત જ કૂદીને એમ્બ્યુલન્સમાં શેઠાણીના મૃતદેહર પર બેસી ગયો. તે વારંવાર કફનમાં લપેટાયેલા શેઠાણીના મૃતદેહને તાકી રહેતું. તો વળી બીજો કૂતરો એમ્બ્યુલન્સની આગળની સીટ પર ડોક ફેરવીને શેઠાણીને કરુણ વદને જોઈ રહ્યો હતો.

પલકનો કરુણ અંત

image source

પલકને પોતાના બે પાલતૂ કૂતરા ખૂબ વહાલા હતા. ઘરમાં જ્યારે ક્યારેય કોઈ અજાણી વ્યક્તિ પ્રવેશે કે તરત જ તેઓ ભોંકવા લાગતા. પોલીસે આપેલી જાણકારી પ્રમાણે પલકના પતિએ પણ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. અને ગુરુવારે રાત્રે પલકનો ભાઈ અમનદીપ તેણીના ફ્લેટે પહોંચ્યો તો પલક ગળે ફાંસો લગાવી મોતને વહાલુ કરી લીધું હતું અને તે વખતે તેના પાલતૂ કૂતરા તેની આસપાસ આંટા મારી રહ્યા હતા.

પલકને જીવનમાં ક્યારેય ન મળ્યું સુખ

image source

પોલિસને કુટુંબીજનો દ્વારા જાણકારી મળ્યા પ્રમાણે 9 વર્ષ પહેલાં પલકના લગ્ન સિખ સમાજમાં કરવામાં આવ્યા હતા. લગ્ન પહેલાં પલકનો તેના પ્રેમી જિતેશ સાથે સંબંધ હતો. થોડા સમય બાદ જીતેશે તેને બહેલાવી ફોસલાવીને પતિ પાસેથી છુટ્ટા છેડા લેવડાવી દીધા. અને માત્ર એક જ વર્ષમાં પતિને છુટ્ટા છેડા આપીને તેણીએ જીતેશ સાથે મંદીરમાં લગ્ન કરી લીધા. થોડા જ દિવસમાં જીતેષે પોતાનું પોત પ્રકાશ્યું અને બીચારી પલકને ડ્રગ એડિક્ટ બનાવી દીધી. પલકના કુટુંબિજનોએ તરત જ તેને રિહેબ સેન્ટરમાં દાખલ કરાવી તેની સારવાર કરાવી.

બીજો પતિ જીતેશ પણ છોડી જતાં પલકનું મનોબળ તદ્દ્ન ટુટી ગયું

image source

જીતેશ સાથે ત્રણ-ચાર વર્ષ લગ્નજીવન પસાર કર્યા બાદ તેમની વચ્ચે ઝઘડો થતાં જીતેશ તેને છોડીને જતો રહ્યો. પલક જીતેશના પિતા મોહન પટાખેવાલાના એક ફ્લેટમાં એકલી રહેવા લાગી. જીતેશ તેને છોડી જતાં તેનું મનોબળ સાવજ ભાંગી ગયું હતું. પણ તેના માતાપિતા સતત તેની સાથે રહ્યા હતા અને તેને ધરપત આપતા રહેતા હતા. બે મહિના પહેલાં જીતેશે પલક પાસેથી છુટ્ટાછેડા લેવા કેસ ફાઈલ કર્યો. પલકના મૃત્યુ બાદ પણ જીતેશ ન આવ્યો અને છેવટે તેણે પણ મોતને વાહલુ કરી લીધું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ